E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeWorldIran-Israeli War: ઈરાન પરના હુમલાઓનો સંયુક્ત રાષ્ટ્ર કેમ વિરોધ નથી કરી રહ્યું?...

Iran-Israeli War: ઈરાન પરના હુમલાઓનો સંયુક્ત રાષ્ટ્ર કેમ વિરોધ નથી કરી રહ્યું? જાણો શું છે કારણ?

જે વિચારધારાથી સંયુક્ત રાષ્ટ્રની રચના પાછળનો વાસ્તવિક હેતુ વિકસાવવામાં આવ્યો હતો એ હેતુ હાલના તબક્કે જમીનમાં ઘસી ગયો હોય કૈક એવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. ત્યારે આજના લેખમાં સંયુક્ત રાષ્ટ્રની રચના પાછળનો વાસ્તવિક હેતુ સમજીએ.

તાજેતરમાં, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન ગણાવ્યું. જો કે, નિવેદનો જારી કરવાથી નક્કર પગલાં લેવાનું અલગ છે. કારણકે વિશ્વ સ્તર પર માત્ર નિવેદનો આપવાથી કોઈ પણ દેશની સમસ્યાનું સમાધાન થાય એ માની બેસવું ભૂલ ભરેલું સાબિત થઇ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર પાસે સ્વતંત્ર લશ્કરી દળ નથી, અને કોઈપણ જરૂરી કાર્યવાહી તેની સૌથી શક્તિશાળી સંસ્થા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા થવી જોઈએ.

બીજો મુશ્કેલ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર અને ઇઝરાયલ દ્વારા રજૂ કરાયેલ દલીલ છે. આ દલીલોમાં જે રીતના દાવાઓ આ દેશો તરફથી થઇ રહ્યા છે એ માત્ર ને માત્ર સ્વબચાવ જેવા દેખાઈ રહ્યા છે. આ દેશો દાવો કરે છે કે તેમના હુમલાઓનો હેતુ ઇરાનના પરમાણુ શસ્ત્રોના વિકાસને રોકવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રણાલીમાં બહુ ઓછા દેશો આ દલીલને સમર્થન આપે છે અથવા સમજે છે. જ્યારે સભ્ય દેશો કોઈ કાર્યવાહી હુમલો છે કે સ્વ-બચાવ છે તે અંગે અસંમત થાય છે, ત્યારે સર્વસંમતિ બનાવવી મુશ્કેલ બની જાય છે.

બીજા વિશ્વયુદ્ધના વિનાશ પછી 1945 માં સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. તેનો હેતુ બીજા વૈશ્વિક યુદ્ધને રોકવા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાનો હતો. તેના મુખ્ય ઉદ્દેશ્યોમાં દેશો વચ્ચેના સંઘર્ષોનું શાંતિપૂર્ણ રીતે નિરાકરણ, માનવ અધિકારોનું રક્ષણ, દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન અને મુશ્કેલ સમયમાં માનવતાવાદી સહાય પૂરી પાડવાનો સમાવેશ થાય છે. સંગઠનનો હેતુ એક વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપવાનો હતો જ્યાં દેશો યુદ્ધને બદલે સંવાદ દ્વારા તણાવનો ઉકેલ લાવી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments