ગોવિંદાની પત્ની સુનિતા આહુજા તેના સ્પષ્ટવક્તા માટે જાણીતી છે. તે કોઈપણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં ક્યારેય ખચકાટ અનુભવતી નથી.
ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓમાં છે. એક્ટરના કથિત અફેરના સમાચારોએ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. હવે એક ઇન્ટરવ્યુ દરમિયાન સુનીતાએ કહ્યું કે ગોવિંદા એક બેસ્ટ પુત્ર અને પિતા છે, પરંતુ આગામી જન્મમાં તેઓ તેમને પતિ તરીકે નહીં ઈચ્છે.લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં સુનીતાને પૂછવામાં આવ્યું કે શું તેમને પોતાના પતિ ગોવિંદાની ફેન ફોલોઈંગથી ઈર્ષ્યા થતી હતી. તેના પર તેમણે જવાબ આપ્યો, જ્યારે તમને તમારા પતિ પર પૂરો વિશ્વાસ હોય.. જો કોઈ હીરો હોય અને તેના અફેરના સમાચાર સાંભળવા મળે, તો તે સમયે 90ના દાયકામાં આ બધું નોર્મલ હતું. હું આજના સમયની વાત નથી કરી રહી.
Abhishek Vyas Insight સાથે વાત કરતા સુનીતા આહુજાએ કહ્યું કે ગોવિંદા હંમેશા એક સારા પુત્ર રહ્યા છે. પરંતુ, એક પતિ તરીકે તેઓ તેવા નથી જેવું તેઓ ઈચ્છતા હતા. સુનીતાએ આગળ કહ્યું, હું ફરીથી કહીશ, ગોવિંદા એક સારા પુત્ર અને ભાઈ છે. પરંતુ પતિ તરીકે હું જે ઈચ્છું છું.. મને પાર્ટીઓમાં જવું, ડિનર કરવું અને રજાઓ માણવી ખૂબ ગમે છે. પરંતુ, તેઓ હંમેશા પરિવાર માટે કમાવવામાં એટલા વ્યસ્ત રહ્યા કે તેમણે આ વસ્તુઓનો ક્યારેય આનંદ માણ્યો નથી. તેઓ 60 વર્ષના છે, પણ તેમણે ક્યારેય પોતાના માટે જિંદગી જીવી નથી.

સુનીતાએ વધુમાં જણાવ્યું, આ મને ખરાબ અનુભવ કરાવે છે. તમે આટલા મોટા સુપરસ્ટાર છો, તમે જિંદગીમાં જોયું શું? કંઈ જ નહીં. હું હંમેશા કહું છું કે મને ગોવિંદા જેવો પુત્ર જોઈએ, પતિ નહીં. હવે પસ્તાવાનો કોઈ અર્થ નથી. હવે તેમને છોડી પણ શકતી નથી. 40 વર્ષ થઈ ગયા છે, હવે આના વિશે વિચારવું પણ ખોટું હશે.
બીજી તરફ, છૂટાછેડાની અફવાઓ અંગે સુનીતા આહુજાએ 2025ના ગણેશ ચતુર્થી દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા સ્પષ્ટતા કરી દીધી હતી. તેમણે કહ્યું હતું, આજે મીડિયાના મોઢા પર તમાચો નથી પડ્યો શું? અમને સાથે જોઈને.. આટલા નજીક.. જો કંઈ હોત તો અમે આટલા પાસે હોત? અમારી વચ્ચે અંતર હોત. કોઈ અમને અલગ ન કરી શકે, ભલે ઉપરથી કોઈ પણ આવી જાય.. મારો ગોવિંદા ફક્ત મારો છે અને બીજા કોઈનો નહીં.


