HomeIndiaDelhi : એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, સ્પાઈસ જેટ અને અકાસા એરના...

Delhi : એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, સ્પાઈસ જેટ અને અકાસા એરના વિંગ્સ અથડાયા

દિલ્હી એરપોર્ટ પર 16 એપ્રિલ, 2026ના રોજ બે વિમાનોના વિંગ્સ ગ્રાઉન્ડ પર અથડાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સર્જાતા ઉડ્ડયન ક્ષેત્રમાં ચિંતા ફેલાઈ છે. અકાસા એરની દિલ્હીથી હૈદરાબાદ જતી ફ્લાઈટ QP 1406 ટેકઓફ પહેલા જ પરત બોલાવી પડી હતી.દિલ્હી એરપોર્ટ પર 16 એપ્રિલ, 2026ના રોજ બે વિમાનોના વિંગ્સ ગ્રાઉન્ડ પર અથડાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સર્જાતા ઉડ્ડયન ક્ષેત્રમાં ચિંતા ફેલાઈ છે. અકાસા એરની દિલ્હીથી હૈદરાબાદ જતી ફ્લાઈટ QP 1406 ટેકઓફ પહેલા જ પરત બોલાવી પડી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, અકાસા એરનું વિમાન સ્ટેશનરી સ્થિતિમાં હતું ત્યારે બીજી એરલાઇનનું વિમાન તેની સાથે અથડાયું હતું. આ ઘટનામાં સદભાગ્યે તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. એરલાઇનના પ્રવક્તા મુજબ, મુસાફરોને હૈદરાબાદ પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ ઘટનામાં સ્પાઈસ જેટનું B737-700 વિમાન ટેક્સીંગ દરમિયાન સંડોવાયું હતું. ટેક્સીંગ દરમિયાન થયેલી આ ટક્કરમાં સ્પાઈસજેટના વિમાનના જમણા પાંખના વિંગલેટને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે બીજી એરલાઇનના વિમાનના ડાબા ભાગના હોરિઝોન્ટલ સ્ટેબિલાઈઝરને પણ નુકસાન થયું છે. ઘટના બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્પાઈસજેટનું વિમાન દિલ્હીમાં જ ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે.

એરપોર્ટ સત્તાવાળાઓ અને સંબંધિત એજન્સીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી ચોક્કસ કારણ જાણી શકાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય. આ ઘટના એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને સુરક્ષા પ્રોટોકોલ અંગે પણ પ્રશ્નો ઉભા કરે છે. હાલ તમામ કામગીરી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવી રહી છે, પરંતુ અધિકારીઓ દ્વારા વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments