દેશભરમાં સોમવારથી ગણેશ મહોત્સવ શરૂ થઈ ગયો છે. આ વર્ષે મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજાનો પંડાલ અને બાપ્પાનું સ્વરૂપ મહાદેવ (શિવ)ની થીમ પર આધારિત છે, જેના કેન્દ્રમાં એક વિશાળ ત્રિશૂળ પણ શણગારવામાં આવ્યું છે. મંડળ અનુસાર આ તેનો 93મો ગણેશોત્સવ છે.
ઇન્દોરના તિલક નગરમાં 3 ટન માટીમાંથી 14 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. પ્રતિમા અને આખા પંડાલને પ્રકૃતિ-પશુ કલ્યાણનો સંદેશ આપવાના રૂપમાં શણગારવામાં આવ્યો છે.

જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરમાં સિંજારા મહોત્સવ અને જન્મોત્સવ પર વિશેષ દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં શ્રદ્ધાળુઓ સવારે 5 વાગ્યાથી રાત્રે 11:40 વાગ્યા સુધી દર્શન કરી શકશે.
પટનામાં આ વખતે મદુરાઈના પ્રસિદ્ધ મીનાક્ષી મંદિરની જેમ પંડાલ બનાવવામાં આવ્યો છે. અહીં મુંબઈના લાલબાગના રાજાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જે સાડા 5 ફૂટ ઊંચી છે.
હૈદરાબાદના ખૈરતાબાદમાં 72 ફૂટ ઊંચી પ્રતિમા લાવવામાં આવી છે. જ્યારે, ઉપ્પુગુડામાં વિકસિત ભારત 2047ની થીમ પર પંડાલ અને ગણેશ પ્રતિમા બનાવવામાં આવી છે.


