HomeWorldWorld : નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ ખીણમાં ખાબકી, 7ના મોત, 9 ઘાયલ

World : નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ ખીણમાં ખાબકી, 7ના મોત, 9 ઘાયલ

નેપાળમાં ભારતીય યાત્રાળુઓને લઈ જતી બસ પહાડી રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં સાત ભારતીય મુસાફરોના મોત થયા અને નવ લોકો ઘાયલ થયા છે. બધા યાત્રાળુઓ મનકામના મંદિરમાંથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત થયો હતો. મનકામના મંદિર નેપાળમાં એક લોકપ્રિય હિન્દુ તીર્થસ્થળ છે. અહીં દેવી તેની મુલાકાત લીધા પછી ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર, કાઠમંડુથી લગભગ 120 કિલોમીટર પશ્ચિમમાં શાહિદ લખન ગામ પાસે બસ અકસ્માત થયો હતો. આ રસ્તો હાઇવેથી મંદિર તરફ જતા પર્વતીય રસ્તા પર છે. બસ રસ્તા પરથી લપસીને ખીણમાં ખાબકી હતી. અકસ્માતના સમાચાર મળતાં જ સ્થાનિક પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે બસના કાટમાળમાંથી ઘાયલોને બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સની મદદથી તેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં માર્યા ગયેલા તમામ સાત લોકો ભારતીય યાત્રાળુઓ હતા. ઘાયલોમાં સાત ભારતીય મુસાફરોનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે બસ ડ્રાઇવર અને તેનો સહાયક છે. જે બંને નેપાળના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ તેમના મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments